મોરબીમાં ગોકુલના બાલા હનુમાન ધૂન મંડળ દ્વારા મેઘરાજાને રીઝવવા ધૂન કિર્તન કરાયા

- text


મોરબી : મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં મેઘરાજાને રીઝવવા માટે ધૂન કિર્તન કરવામાં આવ્યા હતા. જેમા સ્થાનિકોએ જોડાઈને મેઘરાજાને કૃપા વરસાવવાની પ્રાથના કરી હતી.

હાલ મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ ખેંચાયો છે. ત્યારે લોકો ચિંતાતુર બન્યા છે. મેઘરાજાને રીઝવવા માટેના અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં ગોકુલના બાલા હનુમાન ધૂન મંડળ દ્વારા શ્રી રામના ધૂન કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

- text