મગફળીકાંડની તટસ્થ તપાસની માંગ સાથે યોજયેલ ધરણામાં ભાગ લેતા મોરબીના કોંગી અગ્રણીઓ

- text


વિપક્ષી નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં રાજકોટના શાપર વેરાવળ ખાતે યોજાયા ધરણા

મોરબી : રાજ્યમાં ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવા છતાં સરકાર દ્વારા કડક પગલાં ન લેવાતા આજે વિપક્ષી નેતા પરેશ ધાનાણી દ્વારા રાજકોટના શાપર વેરાવળ ખાતે ધરણા યોજવામાં આવતા મોરબી કોંગ્રેસના આગેવાનો આ ધરણામાં જોડાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીમાં માટી, કાંકરાની ભેળસેળ છુપાવવા અગાઉ મગફળીના ગોડાઉનો સળગી ગયાની હકીકત વચ્ચે તાજેતરમાં જેતપુરના પેઢલાના ગોડાઉનમાં ભેળસેળ છતી થઈ હતી આમ છતાં સરકાર દ્વારા કડક પગલાં ન લેવાતા આજે વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ઘાનાણી દ્વારા રાજકોટના શાપર વેરાવળ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા

- text

આ ધરણામાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા, નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, તાલુકા પંચાયત સદસ્ય વિજય કોટડીયા સહિતના મોરબી કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા.

- text