મોરબીમાં બાળકીની હત્યા કરનાર નરાધમની બે દિવસની રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે કરાયો

- text


બે દિવસની રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી નોંધપાત્ર વિગતો ન મળી

મોરબી : મોરબીમાં માસૂમ બાળકીની હત્યા પ્રકરણના આરોપીની બે દિવસની રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો છે. આરોપીની બે દિવસની રિમાન્ડ દરમિયાન પોલીસને કોઈ નોંધપાત્ર વિગતો મળી ન હતી.

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ મેટ્રો પોલ ટાઇલ્સ પ્રાઇવેટ લીમિટેડ કારખાનાની ઓરડી નં.૭૧માં રહેતા અતુલ રામનારાયણ નિશાદ ઉ.વ.૨૪ મૂળ ઉત્તરપ્રદેશ વાળો તેની બાજુમાં રહેતા પરિવારની બાળકીને દુષ્કર્મ આચરવાના ઇરાદે નીંદરમાં ઉપાડી ગયો હતો.બાદમાં બાળકી બુમો પાડવા લાગતા આ નરાધમે બાળકીના ગળા પર છરીનો ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

- text

આરોપીને પોલીસે પકડી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ માણજુત કર્યા હતાં. બે દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે હત્યામાં વપરાયેલી છરી કબ્જે કરી હતી. ઉપરાંત હજી સુધી આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે સામે આવ્યું નથી. આજે બે દિવસની રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને પોલીસે જેલ હવાલે કર્યો છે.

 

- text