વાંકાનેરમાં બે યુવાનોના આપઘાત : એકે ઝેર પીધું, બીજાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકામાં શુક્રવારે આપઘાતની બે ઘટનામાં બે યુવાનોએ જિંદગીથી કંટાળી આત્મઘાતી પગલું ભરી લેતા ચકચાર જાગી છે.

આપઘાતની જુદી – જુદી બે ઘટનાઓની વિગતો જોઈએ તો પ્રથમ બનાવમાં વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતા રોહિત જયંતીભાઈ કોરડીયા, ઉ.૨૨ વાળાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લઈ મોત વહાલું કર્યું હતું.

- text

જ્યારે બીજા બનવામાં વાંકાનેર તાલુકાના લાકડાધાર ગામ નજીક આવેલ સિમ્બોલ સિરામિકમાં રહીને મજુરી કામ કરતા અને મૂળ અમદાવાદના ધંધુકાના રહેવાસી હર્ષદભાઈ લગધીરભાઈ ડેડાણીયા, ઉ.૨૨ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text