ટંકારાના નેકનામમાં દાઝી જતા દેરાણી, જેઠાણીના મોત

- text


નાના એવા નેકનામ ગામમાં અરેરાટી

મોરબી : ટંકારા તાલુકાના નેકનામ ગામમાં રસોઇ બનાવતી વખતે પ્રાઈમસ ફાટતા એક જ પરિવારના દેરાણી-જેઠાણી દાઝી જતાં રાજકોટ સારવાર માટે ખસેડાયા હતાં. જેમાં પહેલા દેરાણી અને બાદમાં ગત રાત્રે જેઠાણીએ પણ દમ તોડી દેતાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતાં હકુબા ગોવિંદસિંહ ઝાલા (ઉ.વ.૪૫) અને તેમના દેરાણી ભાવનાબા ભરતસિંહ ઝાલા (ઉ.વ.૩૫) પોતાના ઘરેે રસોઇ બનાવતા હતા ત્યારે અચાનક પ્રાઈમસ ફાટતા બંને દાઝી જતાં સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

- text

સારવાર દરમીયાન ગુરુવારે દેરાણી ભાવનાબા ઝાલાનું મોત નિપજયું હતું. અને જેઠાણી હકુબા ઝાલાએ પણ ગત રાત્રિના સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં અને નાના એવા નેકનામ ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

- text