- text
વાંકાનેર : વાંકાનેરના ખડીપરા ગામે રહેતી સગીરાનું જાંબુડિયાના શખ્સે લલચાવી ફોસલાવીને અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ આદરી છે.
- text
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના ખડીપરાની ૧૬ વર્ષની સગીરાનું જાંબુડિયા ગામનો મનોજભાઈ મેરુભાઈ ઇન્દિરિયા લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની સગીરાની દાદીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text