મોરબી સિવિલ હોસ્પિટલ એનસીડી સેલ દ્વારા નો ટોબેકો ડે ની ઉજવણી

- text


નર્સિંગ સ્ટાફ દ્વારા રેલી યોજી જનજાગૃતિ પેમ્ફ્લેટનું વિતરણ કરાયું

મોરબી : આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે મોરબી સિવિલ હોસ્પીટલ એનસીડી સેલ દ્વારા રેલી યોજી જનજાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

નો ટોબેકો ડે ની ઉજવણી અંતર્ગત મોરબી સિવિલ હોસ્પિટલ એનસીડી સેલ દ્વારા સવારે દર્દીઓનું ચેકઅપ કરી તમાકુનું વ્યસન ધરાવતા લોકોનું કાઉન્સિલ કરાયું હતું બાદમાં સાંજે નર્સિંગ સ્ટાફ દ્વારા રેલી યોજી જનજાગૃતિ પેમ્ફ્લેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

સમગ્ર આયોજનને સફળ બનાવવા જયશ્રી ઓડેદરા, સિવિલ હોસ્પિટલ એનસીડી સેલના દિવ્યા ગોહેલ, હિતેશભાઈ પોપટાણી, ડો.મોનીકા જાની સાહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text

 

- text