મોરબીની આંબેડકર કોલોનીનો યુવાન લાપતા

- text


મોરબી : મોરબીના રોહિદાસપરા પાસે આવેલી આંબેડકર કોલોનીમા રહેતો યુવાન ઘરેથી કામ સબબ બહાર ગયો હતો .ત્યારબાદ આ યુવાન લાપતા થયો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વીશિપરામાં રોહીદાસપરા પાસે આવેલ આંબેડકર કોલોનીમાં રહેતા હરેશ બાબુભાઇ ચાવડા ઉ.વ.૨૩ તા.૧૭ના રોજ ઘરે થી રેશનકાર્ડમાં ફિંગર પ્રિન્ટ આપવા જવાનું કહિને બાઈક પર ગયા હતા. ત્યાર બાદ ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતાતુર બન્યો છે.

- text

યુવનનો કોઈ અતોપતો ન મળતા તેના માતાપિતાએ જમવાનું છોડી દીધું છે. જુવાન જોધ યુવાન પુત્ર ગુમ થઈ જતા પરિવાર માટે આભ તૂટી પડ્યું છે.જો આ યુવાનનો કોઈ પતો મળે તો મુકેશભાઈ ચાવડા મો.નં. ૯૯૭૯૩ ૭૨૦૮૩ , પ્રકાશભાઈ ચાવડા મો.નં. ૯૬૮૭૨ ૯૩૨૧૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text