જાણતા રાજા નાટકમાં યોગદાન આપનાર રાષ્ટ્રભક્તોનો આજે ગુરુવારે સત્કાર સમારોહ યોજાશે

- text


મોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજીત મહા નાટક જાણતારાજાના ૮ શો ભવ્ય સફળતાથી કાલે ગઈરાત્રે પૂર્ણ થયો છે. ત્યારે આ મહાનાટકને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપનાર દાતાઓ, તમામ સ્વયંસેવકો અને કલાકારો સહિતના રાષ્ટ્રભક્તોનો સત્કાર સમારોહ આજ રોજ તા.૧૦ના રાત્રીના 9.00 વાગ્યે યોજાશે.

મોરબીમાં જાણતા રાજા મહાનાટકને ભવ્ય સફળતા સાંપડી છે. તેમાં રાષ્ટ્રભકતો નો ખૂબ જ મોટો સહકાર મળ્યો છે. રાષ્ટ્રભકતોએ શક્ય તેટલા તમામ પ્રયાસો કરીને ભારત માતાના મંદિરના નિર્માણ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. જેમાં નાનામાં નાના સફાઈ કામદારોથી માંડી સહયોગીઓ, કલાકારો, દાતાઓ અને સ્વયંસેવક ખૂબ મોટું યોગદાન પ્રાપ્ત થયું છે. ત્યારે આ તમામ રાષ્ટ્રભક્તોના સત્કાર માટે એક ખાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

રાષ્ટ્રભક્તોનો સત્કાર સમારોહ આજે તા.૧૦ ને ગુરુવારે રાત્રે ૯:૦૦ કલાકે યોજાશે. સત્કાર સમારંભમાં સહપરીવાર પધારવા રાષ્ટ્રભક્તોને માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text