મોરબીમાં મંગળવારે દેશ ભક્તિ લોકડાયરો

- text


લોકસાહિત્યકાર અનુદાન ગઢવી છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રનું કરાવશે રસપાન

મોરબી: મોરબીના રાયગઢ કિલ્લા ખાતે આગામી તા.૧ ને મંગળવારના રોજ માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા દેશ ભક્તિ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા લોક સાહિત્યકાર અનુદાન ગઢવી શિવાજી મહારાજનું જીવન વૃતાંત રજુ કરશે.

- text

માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભારત માતા મંદિરના લાભાર્થે આગામી તા.૧ ને મંગળવારે રાત્રે ૯ કલાકે રાયગઢ કિલ્લો(જાણતા રાજા ગ્રાઉન્ડ), ન્યુ એરા સ્કૂલ સામે, ધૂનડા રોડ, મોરબી, ખાતે ભવ્ય દેશ ભક્તિ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા લોક સાહિત્યકાર અનુદાન ગઢવી છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રનું પોતાની આગવી શૈલીમાં રસપાન કરાવશે. આ કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવમાં આવ્યું છે.

 

- text