મોરબીના રોહિદાસપરામાં ૧૩મીએ રાત્રે ભીમ ભજન

- text


મોરબી : મોરબીના રોહિદાસપરામાં આગામી ૧૩ મીએ રાત્રે ભીમ ભજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકારો ભજનની રમઝટ બોલાવશે.

- text

ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકર ની ૧૨૭મી જન્મ જયંતિ ની ઉજવણી ના ભાગ રૂપે ભીમ ભજન(ડાયરા) નું ભવ્ય આયોજન ગુજરાત સોસાયટી પંચ ભાઈઓ દ્વારા આગામી તા.૧૩ ને શુક્રવાર ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે, ગુજરાત સોસાયટી, રોહિદાસ પરા, મોરબી ખાતે કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર ના સુવિખ્યાત રેડિયો ટીવી કલાકાર વિનુભાઈ દાફડા, શોભનાબેન દાફડા, સાહિત્યકાર જીતુભાઇ વાળા અને કચ્છ ના બાળ કલાકાર નિલેશ મકવાણા આ ભજન નું રસપાન કરાવશે.આ પ્રસંગે મોરબી ની તમામ જનતા ને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- text