- text
પાર્સલ મોકલવાની ના પાડતા ટ્રાવેલ્સ ધંધાર્થી સાથે ગાળા ગાળી કરીને જાન થી મારી નાખવાની ધમકી આપી
મોરબી: મોરબીના ટ્રાવેલ્સ ધંધાર્થીએ પાર્સલ લેવાની ના પાડતા ૪ શખ્સોએ બેફામ વાણીવિલાસ કરીને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. ટ્રાવેલ્સના ધંધાર્થીએ આ અંગે તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
- text
પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રવાપર-ધુનડા રોડ પર રહેતા ટ્રાવેલ્સના ધંધાર્થી તિલકેશભાઈ કનુભાઈ પંચાલ લાલપર પાસે આવેલી તેમની શતાબ્દી ટ્રાવેલ્સની ઓફીસે હતા. તે વેળાએ વડોદરાના પાર્સલો મોકલવાની ના પાડતા ઈકબાલભાઈ મહમદભાઈ બગડા, પ્રતિકભાઈ ગઢવી, ઈકબાલભાઈ હાજીભાઈ પલેજા અને સોયબ રહેમાનભાઈ જુણેજાએ ગાળા ગાળી કરીને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે ટ્રાવેલ્સ ધંધાર્થી તિલકેશભાઈ કનુભાઈ પંચાલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text