મોરબીના હજરત મહામુદશાહ બુખારીના ઉર્ષ પ્રસંગે કોમીએકતા રૂપી પદયાત્રા યોજાશે

- text


તા. ૨૧ અને ૨૨ ના રોજ મોરબી – ભાળિયાદની પડયાત્રામાં અસંખ્ય લોકો જોડાશે

મોરબી : મોરબીના જેન્યુન ફાઉન્ડેશન દ્વારા આગામી તા. ૨૧/૨૨ ના રોજ હજરત મહમુદશાહ બુખારીના ઉર્ષ મુબારક પ્રસંગે મોરબી – ભડિયાદ વચ્ચે કોમી એકતાના પ્રતીક સમાન પદયાત્રા યોજાશે.

હજરત મહેમુદશાહ બુખારી ના ઉર્ષ મુબારક પ્રસંગે દર વર્ષ ની જેમ જ મોરબી થી ભડીયાદ પગ પાળા સાથે જુલ્સ ની મેદની માં જોડાવા તમામ હિન્દુ મુસ્લીમ ભાઈઓને જાહેર આમંત્રણ પાઠવવા માં આવે છે.

- text

મોરબી જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા ધ્વારા આ બીજા વર્ષે મોરબી થી ભડીયાદ પગપાળા જવા માટે નું આયોજન કરેલ છે. જેમાં મોરબી થી મું ચાંદ ૩ રજજબ અને અંગ્રેજી તા:-૨૧/રર-૦૩-૨૦૧૮ ના રોજ સવારે ૯ વાગ્યે સમયે માટે મુદશા બુખારી ના છીલ્લા મુબારક થી મેદની રવાના થશે ચરાડવા અને હળવદ થઈ દર વર્ષ ની જેમ ના રાબેતા મુજબ ના રૂટ ૫૨ થી પદયાત્રીઓ શાન મુબારક સાથે ભડીયાદ ઉર્ષ મુબારક માં હાજરી આપશે.

આ જુલ્સ મુબારક માં જૉડાવવા ઈચ્છુક દરેક હિન્દુ મુસ્લીમ ભાઈઓએ મોરબી જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા ના પ્રમુખ બ્લોચ આરીફભાઈ એમ. મકરાણી નો સંપર્ક કરવો મો:-૯૫૭૪૧ ૫૩૭૫૨ તેમજ છીલ્લા મુબારક ના ખાદીમ મો:-૯૩૨૮૨ ૮૫૧૮૧ અબ્દુલશા બાપુ નો સંપર્ક કરવા જેન્યુન ફાઉન્ડેશનના પ્રમુખ બ્લોચ આરીફ્ભાઈ. એમ.મકરાણી ની યાદીમાં જણાવેલ છે.

- text