મોરબીમાં ચંદ્રશેખર આઝાદજીના શહીદ દિવસની યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી

- text


યંગ ઇન્ડિયા ગ્રુપના યુવાનો ચંદ્રશેખર આઝાદ ની વેશભૂષા સાથે દેશદાઝ પ્રદર્શિત કરી

મોરબી : શહીદ ચંદ્રશેખર આઝાદજીના શાહિદ દિન નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા યાદગાર રીતે વિરંજલી અર્પણ કરવામાં આવી હતી, આ તકે યુવાનોએ ચંદ્રશેખર આઝાદની વેશભૂષા ધારણ કરી દેશભક્તિનો અદભુત માહોલ ઉભો કર્યો હતો.

- text

ચંદ્રશેખર આઝાદજીનું જીવન એટલે જવામર્દી અને ઝિંદાદિલીના જવલંત કથા. “દુશ્મન કી ગોલિયોં કા હમ સામના કરેંગે, આઝાદ હી રહે હૈ, આઝાદ હી રહેંગે.” આઝાદીના ક્રાંતિવીરને શહીદ દિન નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી શહેરની જાહેર જગ્યાઓ પર યુવાનો દ્વારા આઝાદજીની વેષભુશા ધારણ કરી વિવિધ સૂત્રો તથા બેનરો દ્વારા દેશદાઝ પ્રદશિર્ત કરી ચંદ્રશેખર આઝાદજીને વિરાંજલી અપર્ણ કરી ધન્યતા અનુભવી હતી.

દેશભક્તિ કાર્યક્રમના આ આયોજનથી લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં દેશ માટે ખપી જનારા શહીદ વીરોની જીવનચરિતરૂપી શોર્યગાથા પરથી પ્રેરણા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુ સાર્થક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- text