દલિત પ્રૌઢના આત્મવિલોપન મામલે મોરબીમાં ચક્કાજામ

- text


નટરાજ ફાટકે દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરતા જિલ્લાભરની પોલીસ દોડી

મોરબી : પાટણમાં દલિત પ્રૌઢને ન્યાય ન મળતા કરેલા આત્મવિલોપનનો પડઘો મોરબીમાં પડ્યો છે અને ઘટનાના વિરોધમાં દલિત સમાજ દ્વારા નટરાજ ફાટકે ચક્કાજામ કરવામાં આવતા જિલ્લાભરની પોલીસે દોડવું પડ્યું હતું.

- text

પાટણમાં દલિત વૃદ્ધને સરકારી અધિકારીઓ દ્વારા ન્યાય આપવામાં ન આવતા સરકારી કચેરીના પ્રાંગણમાં જ આત્મવિલોપન કરી લેતા સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આજે મોરબીના દલિત સમાજ દ્વારા નટરાજ ફાટકે ચક્કાજામ કરી આક્રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દલિત સમાજ મોરબી દ્વારા નટરાજ ફાટકે ચક્કાજામ કરવામાં આવતા વાહનોના થપ્પા લાગ્યા હતા જો કે બાદમાં એલસીબી, એસઓજી, સહિત જિલ્લાભરની પોલીસ ઘટના સ્થળે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત થઈ હતી.

- text