- text
મોરબી : રાજકોટ બસસ્ટેન્ડમાંથી મોરબીના ખેવરિયા ગામે રહેતા મહિલાના ૬૫ ગ્રામ દાગીના ભરેલું પર્સ ચોરાઈ જતા ચકચાર જાગી છે.
- text
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ખેવરિયા ગામે રહેતા ધાર્મિષ્ઠાબા ઇન્દ્રસિંહ જાડેજા નામના મહિલા રાજકોટથી મોરબી જવા માટે શાસ્ત્રી મેદાન નવા બસસ્ટેન્ડમાં હતા ત્યારે મહિલાની નજર ચૂકવી કોઈ અજાણ્યો શખ્સ ૬૫ ગ્રામ દાગીના કિંમત રૂપિયા ૧.૨૧ લાખ ભરેલ પર્સ ચોરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
- text