ગુરુવારે મોરબીમાં રક્તદાન શિબિર યોજશે

- text


મોરબી : થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે આગામી ગુરુવારને તા. ૮ ના રોજ મોરબી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે.

મોરબીના વેજીટેબલ રોડ, પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આગામી તા. ૮ ને ગુરુવારે સવારે ૯ થી ૧ દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પીટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.

- text

આ રક્તદાન શિબિરમાં એકત્રિત થયેલ રક્ત થેલેસેમિયા દર્દીઓને ઉપયોગમાં લેવાશે વધુ વિગતો માટે ધર્મેન્દ્રભાઈ જોશી મો. ૯૭૩૭૫ ૨૦૦૫૭ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text