૩૦ મીએ મોરબીમાં યોજાશે વાતાવરણ શુધ્ધિ યજ્ઞ

- text


વરિયા મંદિર ખાતે ગુરુ શ્રી વિરદાસ બાપુની પુણ્યતિથિ નિમીતે આયોજન

મોરબી : આગામી ૩૦ ડિસેમ્બરના રોજ મોરબી વરિયા મંદિર ખાતે ગુરુ શ્રી વિરદાસ બાપુની ૧૩ મી પુણ્યતિથિ નિમીતે ૧૧ કુંડી વાતાવરણ સુધી યજ્ઞનું આયોજન કરાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ આગામી તારીખ ૩૦ ને શનિવારના રોજ ગુરૂ શ્રી વિરદાસ બાપુની ૧૩ મી પુણ્યતિથી નિમિત્તે વરીયા મંદિર સો- ઓરડી મોરબી મુકામે ૧૧ કુંડી વાતાવરણ શુધ્ધિ યજ્ઞનું આયોજન કરેલ છે આ યજ્ઞમાં સ્વેચ્છાએ બેસવા ઈચ્છતા ભક્તજનો એ વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવી દેવા અનુરોધ કરાયો છે.

- text

આ યજ્ઞમાં ૧ કુંડી દિઠ ચાર વ્યક્તિ લેખે કુલ ૪૪ વ્યક્તિ લાભ લઇ શકશે યજ્ઞમાં જોડાનાર વ્યક્તિ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહી.

યજ્ઞમાં બેસવા માટે નામ નોંધાવવા તેમજ વધુ વિગતો માટે દિપકભાઈ મુળજીભાઈ સંખલપરા મોરબી,મો.નં.9979286618 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text