- text
મોરબી:મોરબી જિલ્લા ભાજપના આગેવાનાના ભક્તિનગર સર્કલ.પાસે આવેલા પમ્પમાં ફરજ બજાવતા કર્મચારીએ ગ્રાહકોને ઉધાર ડીઝલ આપી બારોબાર ઉઘરાણી કરી લઈ પમ્પ માલિક સાથે છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભક્તિનગર સર્કલ નજીક આવેલા જિલ્લા ભાજપ આગેવાન નરેન્દ્રસિંહ નાથુભા ઝાલાના એસ્સાર કંપનીના પેટ્રોલપંપમાં કામ કરતા સો ઓરડી વિસ્તારના કર્મચારી વિશાલ ચંપકભાઈએ જુદા-જુદા ગ્રાહકોને ઉધાર ડીઝલ આપી વર્ષ ૨૦૧૬ના ૧ થી ૭ માસમાં ૨.૯૫ લાખ રૂપિયાની બારોબાર ઉઘરાણી કરી લીધી હતી આ ઉપરાંત પેટ્રોલપમ્પના માલિક પાસેથી રૂપિયા ૫૦ હજાર ઉછીના લઈ પરત ન આપતા આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.
ઘટના અંગે એ-ડિવિઝન પોલીસે મૂળ પંચાસરના રહીશ અને હાલ સોમૈયા સોસાયટી વાવડીરોડ ખાતે રહેતા નરેન્દ્રસિંહ નાથુભા ઝાલાની ફરિયાદને આધારે પમ્પના કર્મચારી વિશાલ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી એને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
- text
- text