મોરબી ભૂસ્તરશાસ્ત્રી કચેરીના સર્વેયર ગેરરીતિ બદલ છુટા કરાયા

- text


મોરબી:મોરબી ભૂસ્તર શાસ્ત્રી કચેરીમાં સર્વેયર તરીકે કરાર આધારિત નોકરી કરતાં રજનીકાંત ભેંસાણીયાને ગંભીર પ્રકારની ગેરરીતિ આચરવા સબબ છુટા કરતા સનસનાટી મચી જવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી કચેરીમાં લીઝ માપણીમાં ફરજ બજાવતા રજનીકાંત ભેંસાણીયા ફરજ દરમિયાન ગંભીર પ્રકારની ગેરરીતિ આચરતા હોવાની ફરિયાદને આધારે ગાંધીનગર વડી કચેરી દ્વારા છુટા કરવા હુકમ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગંભીર પ્રકારની બેદરકારી બદલ લીઝ સર્વેયરને જુલાઈ માસમાં જ છુટા કરવા હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈપણ કારણોસર આ હુકમ ૭ ઓક્ટોબરના રોજ કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે.

- text

- text