મોરબીમાં દંપતીને ડરાવી ચાર શખ્સો રૂ. 29200ની મતા ઉઠાવી ગયા

- text


મોરબીના મહેન્દ્રનગર ગામ ગત રાત્રે ચાર શખ્સો રહેણાંક મકાનમાં ઘુસી દંપતીને ડરાવી ધમકાવીને તેમના મકાનમાંથી રૂ. 29200ની મત ઉઠાવીને ફરાર થઇ ગયા હતા.
મોરબીનના મહેદ્રનગર ગામે આવેલા ગ્રીનપાર્ક વિસ્તારમાં રહેતા નટવરભાઈ ઠાકરશીભાઈ કંઝારિયા (ઉ.30) તેમના પરિવાર સાથે ગત રાત્રે તેઓ સુતા હતા. અને ગત રાત્રીના અઢી વાગ્યાની આસપાસ ચાર અજાણ્યા શખ્સો ચોરીના ઇરાદે તેમના મકાનમાં ઘુસી ગયા હતા. આથી મકાનમાં અવાજ થતા નટવરભાઈ અને તેમના પત્ની જાગી ગયા હતા. તેથી ચારેય શખ્સોએ આ દંપતીને ડરાવી ધમકી આપી તેમના મકાનમાંથી પાકીટમાં રહેલા રૂ. 6200 રોકડા તથા કબાટમાં રાહેલ રૂ. 23000 ની કિંમતના સોનાના દાગીના મળીને કુલ રૂ.29200ના મુદ્દામાલની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. બાદમાં નટવરભાઈએ ચારેય શખ્સો સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text