ટંકારા : રેવન્યુ તલાટીઓને પંચાયત હસ્તક મુકવાની સરકારની વિચારણાનો ઉગ્ર વિરોધ

- text


ટંકારા : ટંકારા મામલતદાર કચેરી ના તલાટીઓ અને ક્લાર્ક દ્વારા સરકાર ના મહેસૂલ વિભાગમાંથી પ્રતિનિયુકતી કરી પંચાયત હસ્તક મુકવાની વિચારણા નો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું હતું જેમાં નાયબ મામલતદાર ના પ્રમોશન સહીત ના પાછલા મુદે રજૂઆત કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા મહેસુલી તલાટી ને પંચાયત વિભાગ ની કામગીરીમાં મુકવામાં આવે તેવી વિચારણા કરી રહી છે ત્યારે ટંકારા મામલતદાર કચેરી ના 12 જેટલા ક્લાર્ક અને તલાટી ઓ રોષે ભરાયા હતા અને મામલતદાર ને આવેદનપત્ર આપી તેની વાત સરકાર સુધી પહોંચતી કરી હતી.

- text

હાલ ગામ પંચાયત મા મહેસુલી તલાટી અને તલાટી કમ મંત્રી બને સેજા હેઠળ ફરજ બજાવતા અલગ અલગ કામગીરી કરે છે જેની પ્રતિનીયુકતી નો વિરોધ કર્યો છે. એ સીવાય પાંચ મુદે ગુજરાત ના રેવન્યુ સર્વિસ ના ક્લાર્કે તથા તલાટી ને ના. મામલતદાર ના પ્રમોશન માટે પણ રજૂઆત કરી હતી.

- text