મોરબીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું : અડધા લાખની ચોરી

- text


ધુટુ રોડ ઉપર હરિઓમ પાર્કમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

મોરબી : મોરબી શહેર જિલ્લામાં તસ્કર રાજ પ્રવર્તી રહ્યું હોય તેમ રોજે રોજ રહેણાંક-દુકાન અને શાળાઓને નિશાન બનાવી રહેલા તસ્કરોએ ઘુટુ રોડ ઉપર આવેલ રીલીફનગરના બંધ મકાનને નિશન બનાવી રૂપિયા ૫૪૦૦૦ની માલમતા ચોરી કરી ગયા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્કમાં સોસાયટીમાં દિલીપભાઈ શામજીભાઈ દેલવાડિયાના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો મકાનના તાળા તોડી અંદર ઘુસ્યા હતા અને રૂમના કબાટની તિજોરી તોડી તેમાં રાખેલા સોના- ચાંદીના દાગીના અને રૂપિયા ૩૫૦૦૦ રોકડા ચોરી જતા તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી તસ્કરોએ મોરબી, હળવદ અને વાંકાનેર પંથકમાં હાહાકાર મચાવ્યો છે.

- text

- text