- text
મોરબી : કર્મચારીઓના પડતર પ્રશ્નોને લાઇ આગામી 8 ઓગષ્ટે મોરબી જિલ્લા મજદૂર સંઘ દ્વારા દાઉદી પ્લોટ પાણી પુરવઠા બોર્ડની કચેરી ખાતે પ્રતીક ધરણાં યોજવામાં આવશે.
- text
ઘરણા અંગે મજદૂર સંઘે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નનો ઉકેલ લાવવામાં ન આવતા આ આંદોલન કરવાની ફરજ પડી છે. વધુમાં આ આંદોલનાત્મક કાર્યક્રમમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ,પાણી પુરવઠા બોર્ડ,ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ,બંદર કચેરી સહિતની જુદી જુદી કચેરીના યુનિયન અગ્રણીઓ જોડાશે.
- text