મોરબી ટીવી 9 ચેનેલના પત્રકાર રાજેશ અંબાલિયા નો આજે જન્મ દિવસ

- text


મોરબી : મોરબી જિલ્લાના ટીવી 9 ના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતા રાજેશ અંબાલિયા નો જન્મ 1 ઓગષ્ટ ના રોજ થયો છે. રાજેશ એ 2004 માં માસ્ટર ઓફ જર્નાલિઝ એન્ડ માસ કોમ્યુનિકેશન નો અભ્યાસ પૂર્ણ કરી કચ્છ ખાતે કચ્છ ઉદય નામના પેપર માં કારકિર્દી ની શરૂઆત કરી હતી. ત્યાર બાદ મોરબી ખાતે થી ફૂલછાબ અને વેસ્ટર્ન ટાઈમ્સ ન્યુઝ પેપર માં પ્રતિનિધિત્વ કારેલ. બાદ માં IBN7 હિન્દી નેશનલ ન્યુઝ ચેનલ માં અમદાવાદ ખાતે પાંચ વર્ષ સુધી ફરજ બજાવેલ. સ્થાનિક અને લોકસભા ચૂંટણીઓ ના કવરેજ ઉપરાંત અમદાવાદ માં થયેલ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ માં સારું એવું કવરેજ કરી નામના મેળવી હતી. ત્યાર બાદ રાજકોટ ખાતે દોઢ વર્ષ સુધી IBN7 ન્યુઝ ચેનલ ના પત્રકાર તરીકે કામ કારેલ. છેલ્લા પાંચ વર્ષ થી મોરબી ખાતે TV9 ના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવે છે સાથે સાથે દેશ ની જાણીતી હિન્દી ન્યુઝ ચેનલ આજતક માં પણ મોરબી જિલ્લાના પ્રતિનિધિ તરીકે સેવાઓ આપે છે. પત્રકાર રાજેશ અંબાલિયા ના જન્મ દિવસ ની સાથે સાથે આજે તેમના પુત્ર શિવમ નો પણ જન્મ દિવસ છે. શિવમ આજે બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષ માં પ્રવેશે છે. આજે પિતા-પુત્ર ના જન્મ દિવસે તેમના સાગા સ્નેહીઓ, પરિચિતો અને મિત્રવર્તુળ માંથી શુભેચ્છાઓ નો ધોધ વહી રહ્યો છે.

- text

- text