હળવદ : નકલંક ગુરૂધામનાં મહંતના ડ્રાઈવરે કરી આત્મહત્યા

- text


મહંત સાથે બહારગામથી પાછા આવી પોતાના ઓરડામાં ગળે ફાંસો ખાધો : સુસાઈટ નોટનાં આધારે પ્રેમપ્રકરણ જવાબદાર હોવાની આશંકા

હળવદ તાલુકાનાં સુપ્રસિદ્ધ નકલંક ગુરુધામના મંદિરના મહંતનાં ડ્રાઈવરે બુધવારની મોડી રાત્રીએ પોતાના ઓરડામાં ગળે ફાંસો ખાઈ લેતા આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામ્યો છે. આ બનાવની જાણ હળવદ પોલીસને કરવામાં આવતા પોલીસે લાશને પીએમ રીપોર્ટ માટે મોકલી આપી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યા પાછલ પ્રેમસંબંધ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. કેમ કે, ઘટનાસ્થળેથી મળેલી સ્યુસાઈટ નોટમાં લખેલું હતું કે, બાપુ મને માફ કરજો.. હું મારી મોના પાસે જઉં છુ.
હળવદ-ધ્રાંગ્રધ્રા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ નકલંક ગુરુધામનાં મહંત દલસુખબાપુની ગાડીનું વર્ષોથી ડ્રાઈવિંગ કરતા હરેશ પ્રજાપતિ ઉ.વર્ષ ૨૭એ પોતાના ઓરડામાં દોરી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. બપોર થવા છતાં પોતાના ઓરડામાંથી બહાર હરેશ રૂમ બહાર ન આવતા સ્વયંસેવકો દ્વારા દરવાજો ખાટકાવ્યા બાદ ન ખુલતા દરવાજો તોડી અંદર જતા હરેશની લટકતી લાશ જોવા મળી હતી. જે અંગેની જાણ હળવદ પોલીસને કરવામાં આવતા જમાદાર મનુભાઈ આહિર સહિત ઘટનાસ્થળે પહુંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text