મોરબી : ૧૨ જુને સિંચાઈ વિહોણા ખેડૂતોની રેલી

- text


મોરબી : મોરબી માળિયા તાલુકાનાં સિંચાઈ વિહોણા ગામોનાં ખેડૂતો દ્વારા ૧૨ જુન સોમવારનાં રોજ કલેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ રેલીમાં સિંચાઈ વિહોણા ખેડૂતો દ્વારા અન્ય ખેડુતમીત્રો તથા મજુરી કામ સાથે જોડાયેલ મીત્રો બહોળી સંખ્યામાં જોડાઈ તેવું જણાવવામાં આવ્યું છે. આ રેલી પીપળીયા ચાર રસ્તાથી સવારે નવ કલાકે પ્રસ્થાન કરી શનાળા બાયપાસ થઈ કલેકટર કચેરીએ પહોચી આવેદન પાઠવશે. બિનરાજકિય આ રેલીમાં પક્ષા-પક્ષી ભુલી ફક્ત ખેડુતહિતમાં જોડાવા સૌ ખેડુત મીત્રોને અનુરોધ કેડી બાવરવા – 9825139992, ભાવેશભાઇ પટેલ- 9824729154 અને કાસમ ભાઇ સુમરા – 9687869202 તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text