- text
મોરબી: આજરોજ તારીખ 21 એપ્રિલને રવિવાર એટલે મહાવીર જન્મ કલ્યાણકના ખાસ અને પાવન દિવસ નિમિતે વાંકાનેર શહેર ખાતે બિરાજતા પૂજ્ય શ્રી કૌશલ્યાબાઈ મહાસતીજીની નિશ્રામાં વાંકાનેર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા એક અનેરી પ્રભાત ફેરીનું આયોજન થયું હતું.
- text
જેમાં સવારના 6.45 કલાકે ઉપાશ્રયથી ચાવડી ચોક, પુલ દરવાજા, પ્રતાપ ચોક, પ્લે હાઉસ, દેરાસર અને ઉપાશ્રય આપેલ રુટ મુજબની પ્રભાત ફેરીનું એક વિશિષ્ટ આયોજન થયું હતું. તેમજ પ્રભુ મહાવીર સ્વામીનો જય જય કાર બોલાવાયો હતો.
- text