મોરબીમાં રામ નવમીએ નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા હિન્દૂ સંગઠનોની માંગ

- text


મોરબી : મોરબીમાં રામ નવમીના તહેવાર ઉપર નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા હિન્દૂ યુવા વાહિની અને આંતરરાષ્ટ્રીય પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

આવેદનમાં જણાવાયુ હતું કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જન્મોત્સવ આવી રહ્યો છે ત્યારે જે ધાર્મિક હિન્દુ સંસ્કૃતિ મુજબ દર સાલની જેમ આ સાલ પણ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય અને આ હિન્દુ સમાજની આસ્થા અને હિન્દુ સંસ્કૃતિ મુજબ જે તહેવાર ઉજવવામાં આવતા હોય તેમાં હિન્દુ સમાજની લાગણીને ઠેસ ના પહોંચે જેથી તે દિવસ દરમિયાન કોઈપણ નોનવેજનું વેચાણ ના થાય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એવી માંગ છે.

- text

- text