મોરબી : માવઠાની આગાહીને પગલે ખેડૂતોને માલ ઢાંકીને લાવવા યાર્ડની સૂચના

- text


મોરબી : અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી આપવામાં આવી હોય, મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને યાર્ડમાં માલ ઢાંકીને લાવવા સૂચના આપવામાં આવી છે.

- text

મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઇન્ચાર્જ સેક્રેટરીએ જણાવ્યું છે હવામાન વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતી હોય, જેને ધ્યાને લઈને ખેડૂત ભાઈઓને સૂચના આપવામાં આવે છે કે તેઓ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવે તથા માલ ઉતરાઈ થઈ ગયા પછી તાલપત્રીથી ઢાંકી દયે. જેથી માલનો બગાડ ન થાય. ઉપરાંત વેપારીઓ પોતાનો માલ પોતાના ગોડાઉનમાં ખસેડી લ્યે.

- text