અમારો વિરોધ માત્ર રૂપાલા સામે જ છે, પાટીદાર સમાજ કે કોઈ પક્ષ સામે નહિ : કરણી સેના

- text


મોરબી જિલ્લા કરણી સેનાના અધ્યક્ષનું પાટીદાર સમાજ જોગ નિવેદન

મોરબી : ક્ષત્રિય સમાજ માટે અશોભનીય ટિપ્પણી બાદ કેન્દ્રીયમંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્ય જ નહીં બલ્કે દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ સમગ્ર પાટીદાર સમાજ સામે નહિ માત્ર પરસોતમ રૂપાલા સામે જ હોવાની સ્પષ્ટતા સાથે કરણીસેનાના મોરબી જિલ્લા અગ્રણીએ પાટીદાર સમાજ માટે સંદેશ આપ્યો છે.

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ હાલમાં જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન ફક્ત પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ છે. સાથે જ રાજપૂત સમાજનો આક્રોશ ફક્ત વ્યક્તિ માટે નો છે ફક્ત પરષોત્તમ રૂપાલા માટેનો છે કોઈ પક્ષ કે કોઈ સમાજ કે કોઈ અન્ય વ્યક્તિ માટેની અમારી કોઈ લડાઈ નથી કે કોઈ પણ પક્ષ સાથેની આ લડાઈ નથી અમારી ફક્ત એકજ માંગણી છે કે, પરષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પદેથી હટાવવામાં આવે તેવી સ્પષ્ટ વાત મોરબી કરણીસેનાના જયદેવસિંહ જાડેજાએ કરી છે.

- text

વધુમાં મોરબી કરણીસેનાના જયદેવસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભા બેઠક ઉપરથી રૂપાલાને હટાવી તેમના સ્થાને કોઈપણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તો ક્ષત્રિય સમાજને કોઈ વાંધો નથી. તેમજ પાટીદાર સમાજ અને રાજપૂત સમાજને કોઈ પણ અફવામાં ધ્યાન ન દેવા અપીલ કરી છે.

- text