મોરબીના મારામારીના ગુન્હામાં 13 વર્ષ બાદ આરોપી સુરતથી ઝડપાયો

- text


મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે મારામારીના ગુનામાં 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરતથી ઝડપી લીધો છે. મળતી વિગતો પ્રમાણે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2011માં આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુરામ જયનારાયણ બિશ્નોઈ (રહે. ખારીયા મીઠાપુર, તા, બિલાડા, જિ. જોધપુર, રાજસ્થાન) 13 વર્ષથી નાસતો ફરતો હતો. ત્યારે હાલ તે સુરત જિલ્લાના કોસંબા પાસે નેશનલ હાઈવે ઉપર આવેલ નગીના હોટલ ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ સુરત પહોંચી હતી અને નગીના હોટલ ખાતે જઈ તપાસ કરતાં આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુરામ જયનારાયણ બિશ્નોઈ (ઉં. વ. 42) ત્યાં હાજર હોય તેને ઝડપીને તપાસ માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને કાયદેસરની અટક કરી આગળની કાર્યવાહી માટે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવામાં આવ્યો છે.

- text