મોરબીની મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજમાં એનસીસી કેડેટ વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત મોરબીની મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજ ખાતે સિનિયર ડિવિઝન એનસીસી કેડેટમાં C સર્ટીફીકેટની પરીક્ષા પૂર્ણ કરનાર કેડેટ માટે વિદાય સમારંભ યોજાયો હતો.

- text

એનસીસી કેડેટ વિદાય સમારંભ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભૂતપૂર્વ NCC ઓફિસર કેપ્ટન શર્મા તેમજ ત્રણેય કોલેજના પ્રિન્સિપાલ તથા સાયન્સ કોલેજના તમામ પ્રોફેસર હાજર રહ્યા હતા. નવા નિયુક્ત પામેલ NCC ઓફિસર ચૌધરી સાહેબ તેમજ કોલેજના પ્રિન્સિપાલ માંડવીયા સાહેબના જણાવ્યા પ્રમાણે કાર્યક્રમનું તમામ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતે વિદાય પામતા કેડેટમાં SUO જય હડિયલ, UO સંધ્યા સોલંકી, સાગરગિરી ગોસાઈ, ગૌતમ રાઠોડ, હેતલ રાઠોડ, કૃપાલી સંચાનીયા, કોમલ ઝીંઝુવાડિયા, સંજના શેખાણી, અભિષેક જડફા, પાથર દિવ્યેશ તથા બ્રીજરાજસિંહ તમામે NCC તથા તેમના રાષ્ટ્રીય સ્તર કેમ્પના અનુભવો જણાવ્યા હતા. સર્વોદય એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી રજનીભાઈ મહેતા તેમજ દેવાંગભાઈ દોશી સૌને શુભેચ્છા પાઠવી હતી. આ વિદાય સમારંભમાં નવ નિયુક્ત સિનિયર અન્ડર ઓફિસર આયુષ ડાભી તેમજ એંકર ધૃમિ દવે તથા સંબિતા ચૌધરી તેમજ તમામ પ્રથમ, દ્વિતીય વર્ષના કેડેટોએ ખૂબજ મહેનત કરી હતી.

- text