વાહનચાલકો બેફામ, વાંકાનેર અને મોરબીમાં અકસ્માતમાં ત્રણ મોત

- text


રાતાવીરડા સરતાનપર રોડ, વધાસીયા ટોલનાકા અને સોખડા ગામના પાટીયા પાસે અકસ્માતમાં ત્રણે જીવ ગુમાવ્યા

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વાહનના ચાલકો બેફામ બનીને દોડતા હોય જીવલેણ અકસ્માતો રોજિંદા બન્યા છે ત્યારે ગઈકાલે મોરબી પોલીસ સમક્ષ મોરબી અને વાંકાનેર પંથકમાં અકસ્માતની ત્રણ જુદી જુદી ઘટનામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રથમ અકસ્માતની ઘટનામાં રાતાવીરડા સરતાનપર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેફીકરાઇ અને ગફલતભરી રીતે વધુ સ્પીડમાં ચલાવી GJ-36-D-6603નંબરના બાઇકને હડફેટે લેતા બાદરભાઇ બાબરભાઇ ચૌહાણનું મૃત્યુ નિપજ્યુ હતું જયારે કરણ અજકુમાર રાણાને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના અંગે વિનાબેન બાદરભાઇ બાબરભાઇ ચૌહાણ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અકસ્માતની બીજી ઘટનામાં મોરબી – વાંકાનેર હાઇવે ઉપર વધાસીયા ટોલનાકાથી આગળ ગુરૂપ્રસાદ રથભાઇ બીંદાણી પોતાનું એક્ટિવ લઈને જમવાનુ પાર્સલ લેવા જતા હતા ત્યારે ટ્રેકટર રજી.નં.GJ-13-AM 7336ના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે ટ્રેકટર ચલાવી અકસ્માત સર્જતાં એક્ટિવા પાછળ બેઠેલા સોહીલભાઇ ગનીભાઇ બાદીને ઈજાઓ પહોંચી હતી જયારે ગુરૂપ્રસાદ રથભાઇ બીંદાણીનું મૃત્યુ નિપજતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

જયારે ત્રીજા અકસ્માતમાં મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયા નજીક ટ્રક ટ્રેઇલર રજી નં- RJ-32-GD-3357ના ચાલકે રસ્તા ઉપર GJ-03-AD-4079 નંબરનું બાઈક લઈને ઉભેલા મેહુલભાઇ મગનભાઇ વાણીયા ઉ.43ને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારતા મૃતકના નાનાભાઈ નવીનભાઇ મગનભાઇ વાણીયા, રહે.હાલ મોરબી વાવડીરોડ શીવમપાર્ક ઉમીયાપાર્કની અંદર વાળાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text