Morbi: ખાખરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસ નિમીત્તે ચકલીઘરનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબી તથા જામનગર આહીર સેના અને નવરંગ નેચર ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમીત્તે ખાખરાળા પ્રાથમિક શાળા ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં આહીર સેના ગુજરાત-જામનગર જીલ્લા પ્રમુખ ગીરીશભાઇ ડેર, આહીર સેના ગુજરાત મોરબી જીલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા, આહીર સેના મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા, નવરંગ નેચર ક્લબ પ્રમુખ વી. ડી. બાળા, આહીર સેના મોરબી જીલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ જીલરીયા સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા આપણાથી વિમુખ થતી જતી ચકલીઓને કઈ રીતે બચાવી શકાય તે મુદ્દે વકતવ્ય તેમજ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

- text

- text