24 માર્ચે મોરબીથી માટેલધામ સુધીની પદયાત્રા યોજાશે

- text


મોરબી : મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા આગામી તારીખ 24 માર્ચ ને રવિવારે હોળીના પર્વ નિમિત્તે મોરબીથી માટેલધામ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

24 માર્ચ ને રવિવારે રાત્રે 9-30 કલાકે મોરબીના દરબારગઢ ચોક ખાતેના ખોડીયાર મંદિરથી રથ સાથે પદયાત્રાનું પ્રસ્થાન થશે. અને વાજતે ગાજતે રથ સાથે પદયાત્રા સ્વરૂપે ભક્તો વાંકાનેરના માટેલધામ પહોંચી ખોડીયાર માતાજીના આશીર્વાદ લેશે.

- text