- text
નવા ઘનશ્યામઘઢના યુવાને પોલીસમાં અરજી આપી એફઆરઆઇ નોંધવા રજુઆત કરી
હળવદ : કાજલ હિન્દુસ્તાની એ સુરતના એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી ભાષણ દરમિયાન મોરબીના પાટીદાર સમાજની દીકરીઓ વિશે અશોભનીય ટિપ્પણી કરવા મામલે મોરબી, માળીયા મીયાણા બાદ આજે હળવદ પોલીસ મથકમાં વધુ એક અરજી કરી એફઆઇઆર નોંધવાની માંગ કરવામાં આવી હતી.
- text
હળવદ તાલુકાના નવા ઘનશ્યામ ગઢ ગામે રહેતા આનંદકુમાર જયંતીભાઈ દલસાણીયાએ હળવદ પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી જણાવ્યું છે કે સુરતના કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ મોરબીની પાટીદાર સમાજની દીકરીઓ વિશે જે ભાષાનો ઉપયોગ કર્યો છે.તે અશોભનીય છે.કાજલ હિન્દુસ્તાની પટેલ સમાજની દીકરીઓને બદનામ કરી ઉશ્કેરણીજનક ભાષણ કરે છે. પોતાની વાહ વાહી મેળવવા અને પોતાની ટીઆરપી તેમજ પબ્લિસિટી મેળવવા આવી મનઘડ વાતો કરતા હોય જેથી સમગ્ર ગુજરાતના પટેલ સમાજમાં રોષ વ્યાપ્યો છે જેથી કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફઆરઆઇ દાખલ રજૂઆત કરાઈ હતી.
- text