મોરબીમાં રવિવારે ફ્રી નિદાન તથા સારવાર કેમ્પ

- text


મોરબી : મોરબીમાં ડો. હસ્તી આઈ.મહેતા દ્વારા મનીષા મનહરલાલ રાવલના સૌજન્યથી તા. 17ને રવિવારના રોજ બપોરે 3:30 થી 5:30 દરમિયાન સતવારા સમાજની વાડી, વાઘપરા, રાધે કૃષ્ણ મંદિર પાસે, મોરબી ખાતે નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જરૂરિયાતમંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે. ડાયાબિટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે. જયસુખભાઈ પટેલ દ્વારા હાથ- પગ, કમરના સાંધાના દુઃખાવા તેમજ વાના દર્દીઓને પોઇન્ટ આપીને ફ્રી સારવાર કરાશે.

- text

- text