વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા લોકોને જગ્યા ફાળવવા કલેકટરને રજુઆત

- text


 

મોરબી : ઓલ ઇન્ડિયા દેવીપૂજક મહામંડળ દ્વારા મોરબી શહેરમાં વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા લોકોને રહેણાંક હેતુ માટેના વિનામૂલ્યે જમીન ફાળવવા બાબતે કલેકટરને રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે હાલ અમારી પાસે મોરબી શહેર કે ગામડાના કોઈ ખરાબો કે પડતર જગ્યા છે નહીં. પૂર્તિ સગવડતા મળે તેવી પડતર તથા સરકારી ખરાબાની જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ છે.

- text