વાંકાનેર : ગાયત્રીનગર વિસ્તાર વિકાસના કામોથી વંચિત, સત્વરે કામગીરી કરવા રજૂઆત

- text


વાકાનેર : ધરમનગરનો ગાયત્રીનગર વિસ્તાર હજુ સુધી વિકાસના કામોથી વંચિત છે, ત્યારે આ અંગે પ્રાથમિક સુવિધાઓ વહેલીતકે પૂરી પાડવા ગાયત્રી નગરના સ્થાનિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

છેલ્લા 20 વર્ષથી ગાયત્રીનગર વિસ્તારના રહીશોને પ્રાથમિક સુવિધાઓ મળી નથી. આ વિસ્તારમાં રોડ રસ્તાના કામો કરવામાં આવ્યા નથી. તેમજ ભૂગર્ભ ગટરની પણ કોઈ સવલત નથી. ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી પાયા પ્લીન્થમાંથી નીકળે છે. આ કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેમ ગટરના ગંદા પાણી ઉભરાય છે. જેનો કોઈ નિકાલ નથી. આ ગંદા પાણીને લીધે ખૂબ મોટા પ્રમાણમાં લોકો ગંભીર બીમારીમાં સપડાય છે. જેથી આ ધરમનગરના ગાયત્રીનગર વિસ્તારમાં ઉપરોક્ત તમામ પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. અંતમાં આ પ્રશ્નોનો ઉકેલ 15 દિવસમાં નહીં આવે તો ગાયત્રીનગરના લોકો તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ ધરણાં પ્રદર્શન કરી આ ગંભીર બેદરકારીને ઉજાગર કરશે. જેથી આ વિસ્તારની મુશ્કેલીઓને તાત્કાલિક દૂર કરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ ગાયત્રી નગરના લોકો દ્વારા કરવામાં આવી છે.

- text