સનહાર્ટ ગ્રુપ વાળા ગણેશબાપાની પુણ્યતિથિએ સરા ગામે યોજાશે રક્તદાન કેમ્પ

- text


મોરબી : મોરબીના સનહાર્ટ ગ્રુપના પ્રેરણામૂર્તિ અક્ષર નિવાસી ગણેશબાપા વરમોરાની પુણ્યતિથિ નિમિત્તે મુળીના સરા ગામે માધ્યમિક શાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આગામી તારીખ 17 માર્ચ ને રવિવારના રોજ ગણેશબાપા વરમોરાની પુણ્યતિથિ નિમિત્તે ગૌરીબા વરમોરા અને ગોવિંદભાઈ વરમોરા, જગદીશભાઈ વરમોરા, સ્વ. હરેશભાઈ વરમોરા, ભુદરભાઈ વરમોરા અને ગણેશબાપા વરમોરાના પરિવાર દ્વારા સરા માધ્યમિક શાળામાં સવારે 9-30 થી બપોરે 1 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરીને ગણેશબાપાને ભાવાંજલી આપવા સનહાર્ટ ફાઉન્ડેશન અને વરમોરા પરિવાર દ્વારા અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે ગોવિંદભાઈ (મો.નં. 9023074581), રમેશભાઈ (મો.નં. 9727722763), કમલેશભાઈ (મો.નં. 9428915787), અશોકભાઈ (મો.નં. 9879971869)નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text