સાંસદ કેસરિદેવસિંહજીનું રાજપૂત સમાજ દ્વારા કાલે મંગળવારે કરાશે સન્માન

- text


મોરબી : રાજ્યસભાના સાંસદ મહારાણા રાજસાહેબ ઓફ વાંકાનેર કેશરીદેવસિંહજી ઝાલા શકિત માતાજીના દર્શન કરવા માટે શક્ત શનાળા ખાતે પધારવાના છે. તો સમગ્ર ઝાલા રાજપૂત સમાજ દ્વારા ઝાલા રાજપૂત સમાજ વતી તેમનું સન્માન ભારતનુ બંધારણ અર્પણ કરી કરવાના છે. ત્યારે ઝાલા રાજપૂત સમાજ દ્વારા સૌને ત્યાં તારીખ 5 માર્ચ 2024ના રોજ સાંજે 5:30 વાગ્યે સમયસર ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેસરિદેવસિંહજી આરતીનો પણ લાભ લેવાના છે.

- text