પલાસ ચોકડીથી હળવદ જવાનો રસ્તો અતિ બિસમાર

- text


વાંકાનેર : પલાસ ચોકડી થી હળવદ તરફ જવાનો રોડ બિસમાર હાલતમાં હોય આ રસ્તા પર આવેલા વરડુસર, જામસર, રાજગઢ સહિતના ઘણા ગામડાઓના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

આ રોડ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો અવરજવર કરી રહ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમજ ગામડામાંથી શહેર તરફ રોજગારી માટે જતા લોકો પણ અવરજવર કરતા હોય છે. પરંતુ આ ઉબડખાબડ રસ્તા પર ચાલતી વખતે મુસાફરોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર થયા છે. અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ આ રસ્તો નવો બનાવવા કે રીપેરીંગ કરવામાં પણ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નથી આવી રહ્યું. ત્યારે લોકો આ રસ્તો ઝડપથી બને તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.

- text