- text
વાંકાનેર : વાંકાનેરના ગોકુલનગરમાં રહેતા વેપારી પત્નીની ડિલિવરી માટે રાજકોટ દવાખાને ગયા બાદ બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડા રૂપિયા 1.80 લાખની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
- text
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના ગોકુલનગરમાં રહેતા અને તૈયાર કપડાનો વેપાર કરતા રવિભાઈ બળવંતભાઈ ચૌહાણ અને તેમના પરિવારજનો ગત. તા.23 ના રોજ મકાન બંધ કરી તેમના પત્નીની ડિલિવરી માટે રાજકોટ ગયા બાદ બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી નકુચા કાપી ઘરની તિજોરીમાંથી ધંધા માટે રાખેલા રોકડા રૂપિયા 1.80 લાખની ચોરી કરી જતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text