- text
મોરબીના રાજપર રોડ ઉપર વર્ષ 2020મા બનેલી ઘટનામાં મોરબી પ્રિન્સિપલ સેસન્સ કોર્ટનો ચુકાદો
મોરબી : વર્ષ 2020માં મોરબીના રાજપર રોડ ઉપર આવેલ જીનિંગ ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતી પરિણીતાની તેણીના પતિએ ચારિત્ર્ય ઉપર શંકા કરી ગળું દબાવી હત્યા કરી નાખતા આ ચકચારી બનાવના મોરબી પ્રિન્સિપાલ સેસન્સ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી રૂપિયા 50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
- text
આ કેસની વિગત જોઈએ તો મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ જય ભવાની જીનિંગ ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતી મનીષાબેન ધુલારામ પરમાર ઉ.23 નામની પરિણીતાને તેણીના જ પતિ ધુલારામ શાંતિલાલ પરમારે ચારિત્ર્ય ઉપર શંકા કરી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેતા બનાવ અંગે વર્ષ 2020માં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી જે અંગેનો કેસ ચાલી જતા 17 મૌખિક અને 29 દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ જિલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાનીની દલીલો ધ્યાને લઇ નામદાર મોરબી કોર્ટે આરોપી ઘુલારામ પરમારને આજીવન કારાવાસની સજા ફટકારી રૂપિયા 50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
- text