મોરબીમાં મકાનમાં ભેદી ધડાકા મામલે FSLની તપાસ : ગેસ લીકેજથી બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ 

- text


ગેસના બાટલામાં અંદાજે 5 કિલો ગેસ ઓછો થયો, બાટલો લીકેજ ન મળ્યો એટલે સ્ટવમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી ગેસ લીકેજ થયો હોવાની શંકા

મોરબી : મોરબીમાં રહેણાંક મકાનમાં ભેદી ધડાકો થયાના પ્રકરણમાં FSL એ તપાસ આદરી છે. હાલની દ્રષ્ટિએ ગેસ લિકેજથી બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ગેસના બાટલામાં અંદાજે 5 કિલો ગેસ ઓછો થયો છે. બીજી તરફ બાટલો લીકેજ ન મળ્યો એટલે સ્ટવમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી ગેસ લીકેજ થયો હોવાની શંકા સેવાઈ રહી છે.

મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા રેસિડેન્સીમાં આજે સવારે એક મકાનમાં ભેદી વિસ્ફોટથી ભારે નુકશાન થયું છે. આ ઘટનામાં ત્રણ સભ્યોને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, બીજી તરફ આ ભેદી વિસ્ફોટને કારણે આજુબાજુના ત્રણથી ચાર મકાનમાં છત સહિતના ભાગોમાં વ્યાપક નુકશાન થયું હતું. જો કે, બ્લાસ્ટ કેમ થયો તે અંગેની કોઈ વિગતો બહાર આવી ન હતી.

- text

આજે FSLની ટિમે આ ઘરની તપાસ હાથ ધરી હતી. જેમાં બાટલો ક્યાંય લીક ન હોવાનું દેખાયું હતું. પણ બાટલામાં ગેસ 5 કિલો જેટલો ઓછો થઈ ગયો હતો. અથવા તો સ્ટવ કે બાટલાનું બટન કે અન્ય કોઈ વસ્તુ લીક હોવું જોઈએ. ગેસ ઘરમાં પ્રસરી ગયો હોય, ઘરમાં વેન્ટીલેશન પણ નથી. નળી લીકેજ છે કે નહીં તે રિપોર્ટમાં ખબર પડશે. કે ગેસનો વાલ્વ બંધ કરવાનો રહી ગયો હોય તેવું બની શકે છે. સવારે લાઈટર ઝલવતા જ આગ લાગી હશે. વધુમાં આ ગેસ નીચે પડ્યો રહે છે. આનાથી ગૂંગળામણ પણ થતી નથી. કોઈ પણ વાસ 2 મિનિટ સુધી જ રહે છે. ત્યારબાદ આપણી સૂંઘવાની શક્તિ એડજસ્ટ થઈ જાય છે.

- text