- text
મોરબી : મોરબીના સામાંકાંઠે વરિયા નગર પાસે આવેલ ગોકુળના બાલા હનુમાન મંદિર દ્વારા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, શબરી સહિતના વેશભૂષામાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જે વરિયા નગર અને સોઓરડીમાં ફરી હતી. આ ઉપરાંત મહાઆરતી, બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ તકે ગોકુળના બાલા હનુમાનની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
- text
- text