વાંકાનેર તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ સરતાનપર પ્રા. શાળા ખાતે યોજાશે

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકામાં ૭૫મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી તા. ૨૬મી જાન્યુઆરીને શુક્રવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સરતાનપર પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં પ્રાંત અધિકારી એસ. એમ. ગઢવીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

- text

આ વેળાએ સવારે ૯-૦૦ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટના હસ્તે ધ્વજ વંદન, સવારે ૯-૦૩ થી ૯-૧૦ મહાનુભાવોનું સ્વાગત, સવારે ૯-૧૦ થી ૯-૫૫ સાંસ્કૃતિક અને સન્માન કાર્યક્રમ, સવારે ૯-૫૫ થી ૧૦-૦૫ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટનું ઉદબોધન, સવારે ૧૦-૦૫ થી ૧૦-૧૫ કલાકે પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

- text