માટેલ ખોડીયાર માતાજી મંદિરે આવતીકાલે 2200 દીવડાની રંગોળી અને મહાઆરતી

- text


વાંકાનેર : સુપ્રસિદ્ધ માટેલ ખોડીયાર માતાજી મંદિરે આવતીકાલ તારીખ 22ના રોજ અયોધ્યા મહોત્સવ નિમિત્તે 2200 દિવડાની રંગોળી અને મહાઆરતી કરવામાં આવશે.

આવતીકાલે અયોધ્યા નગરીમાં ભગવાન શ્રીરામ બિરાજમાન થવાના હોય જેની ખુશીમાં માટેલ ખોડીયાર માતાજી મંદિરે સાંજે 6:30 કલાકે 2200 દીવડાની રંગોળી અને 51 દીવડાની આરતી કરવામાં આવશે. આ ઉપરાંત દર્શને આવતા તમામ ભક્તોને આખો દિવસ પ્રસાદ વહેંચવામાં આવશે. ગ્રામજનોના ભુવા અને સભ્યો દ્વારા સવારે 9:00 કલાકે પ્રભુ શ્રીરામનો વરઘોડો કાઢવામાં આવશે. આ ઉપરાંત સમસ્ત ગ્રામજનો દ્વારા સમૂહ ભોજનનો કાર્યક્રમ આયોજિત કરાયો હોવાનું માટેલ ધામના મહંત ખોડીદાસ બાપુની યાદીમાં જણાવાયું છે.

- text

- text