મોરબીના નવા નાગડાવાસ ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે

- text


મોરબી : સમગ્ર દેશ-દુનિયાની સાથે સાથે મોરબી પંથકમાં પણ અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની પધરામણીની ઉજવણી ચરમસીમાએ છે. ગામો-ગામ, સોસાયટી-સોસાયટીએ સમૂહભોજન, ધૂન ભજન કિર્તન જેવા કાર્યક્રમોનું આયોજન થયું છે, ત્યારે મોરબીના રામપર (નવા નાગડાવાસ) ગામે ભગવાન રામલલ્લાની વધામણી કરવા માટે ખાનડીયા ઠાકર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય ઉજવણીની તૈયારી શરૂ કરવામાં આવી છે.

- text

આવતીકાલ તા.21/1/24ના રોજ રાત્રે રામધૂન, તા.22/1/24ના રોજ સવારે નવા નાગડાવાસ ગામે ભવ્ય કળશયાત્રા, દાંડિયારાસ તેમજ ભવ્ય આરતીનુ હરખભેર આયોજન કરવામાં આવ્યું છે. બપોરે મહાઆરતી બાદ મહાપ્રસાદ યોજાશે. ઉલ્લેખનીય છે કે આખા ગામના સ્કૂલ, પ્રવેશદ્વાર, ચોક, તમામ છત પર ધ્વજારોહણ કરવામાં આવનાર છે તથા રામમંદિરની સુંદર સજાવટ કરવાની તૈયારીઓ જોશભેર ચાલુ છે.

- text